છેલ્લા ૬ માસ દરમ્યાન મારી મેઇલમાં જણાવ્યા મુજબના શહેરોમાં તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકો માટે અમે યોજેલા ફિલ્મ શો અન્વયે થયેલ સવાલ–જવાબ પરથી તારણ કાઢયા છે. ( ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર )
વૈશ્વિક નાગરિક કેવો હોય … તેવા સવાલનો જવાબ એક પણ શિક્ષક આપી ન શક્યા કેવળ તેમણે કલ્પનાના ઘોડા દોડાવ્યા.
સ્વેચ્છાએ સ્વિકારેલા વ્યવસાયમાં કેમ કાર્યક્ષમતાનો અભાવ જણાય છે નો જવાબ … પોતાને મળતી સગવડ વ્યાજબી નથી, વળતર પૂરતું નથી, ઘરની ઘણી જવાબદારીઓ છે .. વિ.
શહેરના સંપન્ન પરિવારમાં બાળકોને જરૂર કરતાં ઘણં વધારે વહાલ કરીને .. સગવડ આપીને .. છાપરે ચડાવી દેનાર માતાપિતા .. મહેમાનો આગળ બાળકોને વાંદરવેડા કરવાનું કહી નુમાઇશ કરીને પોતાની બાળઉછેરની આવડતનુ પ્રદર્શન કરતાં જણાય છે .. તેમાં પોતે ગૌરવ અનુભવે છે.
સામાન્યજ્ઞાન કે સામાન્યબુદ્ધી ( બુધ્ધી ) વધારવાને બદલે બધા જ સીધા ‘અસામાન્ય વ્યક્તિત્વ’ ના માલિક બનવાની સ્પર્ધા કરી રહેલા જણાય છે.
ગ્લેમર, ટેલિવિઝન કે સીનેમાની ઝાકઝમાળની દુનિયામાં જ ઉધ્ધાર થઇ શકે તેમ છે એવી માન્યતા મંદગતિએ મજબૂત થઇ રહી હોય તેમ લાગે છે.
ઘણા બધા આવું માનવા લાગ્યા છે કે, ઉચ્ચ ભણતર વગર ક્યાંય નહીં જીવાય. ગ્રેજયુએશન (બી.કોમ , બી.એસસી કે બી.એ) હવે જાણે બીજી–ત્રીજી ચોપડીનું ભણતર હોય તેમ ગણાવા માંડયું છે. બારમા પછીના ત્રણ વર્ષનું કોલેજ જઇને અંદાજે રૂ. ૩૦,૦૦૦ (વધુ થાય પણ ઓછા હરગીઝ ન થાય)ને ખર્ચે મેળવવામાં આવતું ગ્રેજયુએશન હવે યુઝલેસ ગણાય છે. છતાં દર વર્ષે લાખો બાળકો એ લેવા અને માતાપિતા એ અપાવવા મજબૂર બને છે.
પોસ્ટ ગ્રેજયુએશન વગર ચાલશે જ નહી .. એવી માન્યતા હવે દ્રઢ થતી જણાય છે.
બેઝીક લાઇફ સ્કીલ્સ પણ હવે કોલેજોમાં શીખવવી પડે છે. માતા–પિતા નથી શીખવી શકતા – કુવામાં હોય તો હવાડામાં આવે ને ?
….
સ્વામી વિવેકાનંદજીએ પણ છેવટે તો રોક પર છલાંગ જ લગાવવી પડીને ?
ગાંધીએ પણ છેવટે મૌન જ સ્વીકાર્યું હતું ને ?
લોહિયાળ લડાઇ પછી સમ્રાટ અશોકે પણ સમશેરનો ત્યાગ કર્યો જ ને ?
સંભોગસે સમાધીનો વિચાર આપનાર ઓશોએ પણ તત્કાલીન અમેરીકી પ્રમુખે આપેલ દેશવટો સ્વીકારવો જ પડયોને ?
પ.પૂ. ડોંગરેમહારાજ અને પાંડુરંગશાસ્ત્રીજીએ તેમના જીવન કાળ દરમ્યાન ઓછા પ્રયત્નો નથી કર્યા .. છતાં … આપણે …
હા… આપણે …. સાલ્લા, ડુક્કર જેવા .. ડુક્કરની જેમ ઉકરડા પર જ જીવવાનું પસંદ કરતાં થઇ ગયા છીએ.
આજના સમયમાં પાકિસ્તાનથી કસાબ બની ભારત આવીને રાષ્ટ્રને ધમરોળી નાખવાનું કામ સહેલું લાગવા માંડયું છે …
પણ …
૧૦ ભારતિય યુવાનો …ત્યાં જઇને એમની ………. ફાડી નાખવાની તાકાત રાખે છે ?
એવા ૧૦ યુવાન પેદા કરનાર સંપૂર્ણ પણે સ્વદેશી અને સંસ્કારી ગર્ભાશય ભારતમાં છે ?
.
.
.
મારો આક્રોશ વધી રહ્યો છે … એટલે અહી અટકું છું.
.
.
.
બાકી આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …
.. રોજ પૂછાયા કરે છે ..
.. ફોરવર્ડ થતા રહે છે ..
અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …
વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …
Read Full Post »