Podbean Podcast Site Category :   General   Tags :                          
Feed on
Posts
Comments

Archive for March, 2009

મિત્રો,
 
મને એવો વિચાર આવ્યો કે,
 
– જો તમે ગુજરાત રાજયમાં રહેતા હો,
 
– જો તમારે ત્યાં બીએસએનએલનો લેન્ડલાઇન ફોન હોય,
 
– જો તમે ૧૦ થી ૩૦ મીનીટ મારી સાથે મારા ફોન નં. 02632 243474 પર વાતચિત કરી શકો,
 
અને જો તમે તમારા શહેરની નવાજૂની અંગે મારા કેટલાક સાદા .. સરળ.. સહેલા .. સવાલોના જવાબ ફોન પર આપવાની ઇચ્છા રાખતા હો તો …
 
રેડિયો અખિલ પર તમે મને આપેલી જાણકારી તમારા જ અવાજમાં વિશ્વભરના ગુજરાતી શ્રોતાઓ માટે પ્રસારીત કરીશું.
 
ઉદાહરણ તરીકે –
 
૧. ….(તમારા શહેરનું નામ)…. ની નવાજૂની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ….( તમારા શહેરનું નામ )…. ની નવાજૂની રજૂ કરશે …. ( તમારું નામ )
 
૨. નમસ્તે,  સૌ પ્રથમ તો રેડિયો અખિલના તમામ શ્રોતાઓને તમારા નામ, ગામ અને કામની સંક્ષિપ્ત માહિતી આપી દો.
 
૩. તમારા શહેરની એવી નવાજૂની કે જે વિશ્વના ગુજરાતીઓએ સાંભળવી જોઇએ તે એક કાગળ પર મુદ્દાસર લખી રાખો. ત્યાર બાદ મારી સાથે વાર્તાલાપ સ્વરૂપે રજુ કરો. ( સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા કોઇ પણ વિષયના મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવા ).
 
કોઇ સવાલ ?  વધુ માહિતી માટે ફોન કરો 9427222777
 
નવાજૂની જણાવવા ડાયલ કરો … 02632 243474
 
કેવો લાગ્યો આઇડીયા ??
4976 | 30.03.2009

Read Full Post »

4966 | 29.03.2009

રેડિયો અખિલ ( www.akhiltv.com )

સવારે ૬થી રાત્રે ૧૦ – ભારતીય સમય પ્રમાણે.

આવી રહેલા કાર્યક્રમોઃ         * ભક્તિ અને ભજન,         * વિચારધારા,         * બાલજગત,         * નવાજૂની,         * ધીંગામસ્તી,         * હસાયરો,         * યુવામંચ,         * મહિલામંડળ,         * કામનીવાત,         * સંસ્મરણ,         * સાહિત્યસભા,         * કવિ અને કવિતા,         * આપણું ગુજરાત,         * પ્રવાસ અને પ્રવાસી,         * જોયેલું કે જાણેલું,         * અવનવું,         * માર્ગદર્શન (કારકીર્દી)         * માર્ગદર્શન (વ્યાવસાયિક)         * સંવાદ અને …         * તમે બોલો !!!

ઉગતા કલાકારો માટે કલા પ્રદર્શનનું પોતિકું પ્લેટફોર્મ …

with best Regards,   Akhil Sutaria     Web : www.akhiltv.com     Cellphone : +91 9427 222 777

Read Full Post »

Akhil: હવે અખિલ ટીવી ડોટ કોમ પર લાઇવ ફોન ઇન ની વ્યવસ્થા કરી છે
 
U: વાહ એમાં શું કરવાનું?
 
Akhil: રીયલ ટાઇમમાં ફક્ત ૧૦ સેકન્ડનો ફેર પડે છે click www.akhiltv.com
 
U: હા પણ અમારે એનો શો ઉપયોગ?
 
Akhil: તમે તમારા જ પીસીના મીડીયા પ્લેયરમાં આ ઓડીયો પ્રોગ્રામ રીયલ ટાઇમમાં ફક્ત ૧૦ સેકન્ડના ડીલે સાથે સાંભળી શકશો.
 
U: કાવેરીના કીનરે આવે છે \ \
 
Akhil: now clik Phone IN
 
U: કર્યું
 
Akhil: હવે તમારા ઇન્ટરનેટ કનેક્શનની સ્પિડ મુજબની લિંક કરો. બ્રોડબેન્ડ અથવા ડાયલ અપ
 
U: બ્રોડબેન્ડ
 
Akhil: સરસ
 
U: ક્યા બાત હૈ … તમારો અવાજ મારા પીસી પર … આ તો એકદમ રેડિયો જેવું જ !!
 
Akhil: આમેય હું અક્ષર કરતાં અવાજનો વધારે વહાલો છું !!!
 
U: આની ઉપયોગિતા શું ?
 
Akhil: દા.ત, અમદાવાદના અનિલભાઇ, વેરાવળના વસંતભાઇ, પોરબંદરના પ્રકાશભાઇ, ભાવનગરના ભરતભાઇ, નવસારીના નવિનભાઇ, સુરતના શરદભાઇ, વડોદરાના  વૈભવીબહેન, ભરૂચના ભારતીબહેન, આણંદના અનિતાબહેન ….. ટુંકમાં ગુજરાતના કોઇ પર સ્થળેથી કોઇ પણ વ્યક્તિનો ઇન્ટરવ્યુ તેમના ફોન પર મારી બીએસએનએલની લેન્ડલાઇન પરથી કોઇ ચોક્કસ વિષય પર વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ માટે કરી શકાશે.
 
U: શું વાત કરો છો ? આ તો અત્યંત આનંદના સમાચાર છે.
 
Akhil: હા …. લોકો આનો લાભ લે એ જ મનોકામના છે.
 
U: અભિનંદન
 
Akhil: આભાર. ( http://akhiltv.podbean.com )
 
Listen Now:


icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Embeddable Player | Hits (21)

Read Full Post »

4796

આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ.

ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું.

અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.

પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.

અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …

મજા ન આવી.

કારણકે,

જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું. શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.

મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.

કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.

આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.

સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.

મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,

મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.

ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.

આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.

સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?

મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.

પણ,

વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?

સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.

સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?

પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …

પણ,

ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.

તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?

પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?

મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.

મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,

રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ? (અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો

આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?

આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?

વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )

૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં

(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે

– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?

– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )

(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે

– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?

– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?

(ક) વાલીઓ અને માતા–પિતાને

– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?

– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?

એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?

લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?

લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?

લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?

કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.

જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.

તમે શું વિચારો છો ?

Read Full Post »

વિનયભાઇ,

તમે લખેલ મેઇલનો એક ભાગ મને ખળભળાવી ગયો …

૫/૩ પ્લેજરીઝમ - નવોદિતાથી ન્યુરોસર્જન સુધી પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. ૫/૩ અમારી બીજી કોઇ શાખા નથી. પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે… પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે પ્રસિદ્ધ અને સમૃદ્ધ બ્લોગની શાખ અને નામ વાપરીને નકલખોરો ઉતરી પડ્યા છે.

મારા માટે તમે ‘તમે’ છો.

મારું માનવું છે કે તમારી પાસે અન્યો પાસે છે તે કરતાં કઇક જુદુ કરી શકવાની આવડત પણ છે.

તમારી ‘ખૂણે ખાંચરેથી અવનવા વિષય પર જાણવા જેવું ખોળી કાઢવાની આવડત પર મને માન છે’

તમે ‘જોડણી’ ને લઇને …… ના સમર્થકો સાથે કરેલ શબ્દ યુધ્ધ નહોતુ ગમ્યું.

મારો બ્લોગ હોંસે હોસે શરૂ કર્યા પછી ફક્ત બે જ મહિનામાં …. ફ્લેટ ૬૦ દિવસમાં મારે કામના, મને કામ લાગે તેવા વ્યક્તિઓને તારવી લીધા …. અને તેમની સાથે જ્ઞાનગોષ્ટી / સંગાથ માણવાનું ચાલુ છે.

જેમને હું કામનો લાગ્યો એવા મારી યે નજીક આવ્યા. થોડા ટક્યા બાકીના વિદાય થઇ ગયા.

હજારો લોકોને લાખો પ્રકાર અને જાતની ટેવ અને કુટેવ હોય … એ તો અહીં જ જાણવા મળ્યું.

હું પાછો લડાયક મિજાજનો … આક્રમક વૃત્તિવાળો જીવ … ધીરે ધીરે …. સમજણો થયો !! ( ૫૧ વરસનો થયો હોં ! )

જાત અનુભવે એવું ઇમાનદારીથી કહી શકું એમ છું કે,

વર્ડપ્રેસ પર મને જે વાંચન મળ્યું તે જે તે બ્લોગરનું મૌલિક સર્જન હતું કે કેમ મને ખબર નથી.

૯૯% બ્લોગરો પ્રસ્તુત કરેલા વિચારના વખાણ જ થાય એવી અભિલાષા રાખનારા છે.

ગુજરાતમાં રહેનારા ૨૦ થી ૨૨ બ્લોગરો સાથે મેં ટેલિફોન પર જાતે વાતો કરી છે.

એટલે તેમના લખવા અને બોલવા વચ્ચેનો તફાવત મને ખબર છે. ( વાતોના વિરા કે વડા …. પણ છે વાસ્તવિકતા ) હા, તેમને જે આવડે છે તે મને નથી આવડતું એ હકિકત છે.

એટલે તેમના દ્વારા પ્રસ્તુત થયેલા ‘વિચાર’માં મને જે સારું જણાયું તે અપનાવ્યું બાકીનું … જય શ્રી કૃષ્ણ !

તેમાના ઘણાખરાના શહેરમાં ( અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ) પણ બે – ચાર થી અનેકવાર વાર જવાનું થયું છે ત્યારે …. તેમનું મારી સાથે ટેલિફોન પર બોલવું અને મને મળવા જેટલા સમયનો અભાવ … .. એક વાર, બે વાર .. ત્રણ વાર .. પણ ચોથી વારે ?? ઘણં ઘણું કહી જાય છે … સમજાવી જાય છે. વ્યક્તિની અગ્રિમતાઓ કે પ્રાથમિકતાઓ અલબત્ત વ્યક્તિગત જ હોય એ હું સારી રીતે જાણું જ છું.

માર્ગદર્શન ની પ્રવૃત્તિ સાથે મળીને કરવી જોઇએ, હું તમારી સાથે છું … કોઇ કામ હોય તો જરૂરથી જણાવજો .. એવું કહેનારાઓ … મને માત્ર ફોન અને ઇન્ટરનેટ પર જ મળ્યા છે. ગણત્રીના ૬ અપવાદ બાદ કરતાં. આ પણ વાસ્તવિકતા છે.

જેને ચોરી ખબર ન પડે એવી રીતે કરતાં ન આવડતી હોય તે ખુલ્લે આમ કરે … પણ તેણે કરેલી ચોરી કે ઉઠાંતરીથી કોને .. શું … કેવા પ્રકારનું અને કેટલું નુકશાન થાય કે થયું … એવુ તો કોઇ જણાવતું નથી … !!!

સાચું કહું તો … હું મહત્વ લખાણને આપું છું મોકલનાર કે ફોરવર્ડનાર ( નવો શબ્દ શોધાયો ! ) ને નહી.

લખનાર વ્યક્તિ વિદ્વાન છે કે નહી તે નક્કી કરવાનું કામ વાચકનું છે અને વાચક ધીમે ધીમે પોતાની ગતિએ જ સમજણો થતો હોય છે એમ મને લાગે છે.

મોટા ગજાના કે નાના ગજાના .. ધુરંધરો કે મુર્ધન્ય .. માં મને સમજ નથી પડતી. વલસાડમાં યોજાયેલ બે ચાર કવિસંમેલનમાં હાજરી આપી પણ એવું લાગ્યું કે, હું કવિતાનો જીવ નથી. એટલે કવિતા કરનારા કે લખનારા ખોટા નથી થઇ જતા.

બોટમ લાઇન – તેઓ ‘તે’ છે, તમે ‘તમે’ છો અને હું ‘હું’ છું. … કેટલું જીવવાનું છે તે ખબર નથી … તેમને કે તમને સુધારવાને બદલે ‘મને’ સુધારવાનુ મને વધુ રસપ્રદ, સરળ અને કરવા જેવું કાર્ય લાગે છે.

 

Read Full Post »

૦૨.૦૩.૨૦૦૯ / ૪૫૭૧.
કોઇ પણ એક માન્યતા અંતિમ હોતી નથી ..
 
જુદા જુદા નામે કે સ્વરૂપે …
 
રામ … રહિમ … જીસસ … અને …. એવા તો ઘણાં ….
 
લોકોએ જ આપેલા નામથી ઓળખાતી
 
આ અલૌકિક શક્તિ પર આધાર રખાય છે …
 
કોઇ પણ ધર્મના, જ્ઞાતિના કે સંપ્રદાયના લોકોની
 
આસ્થા જે ધર્મગ્રંથ પર હોય તે …
 
બાઇબલ, કુરાન કે ગીતા …  પથદર્શક છે …
 
જન્મથી મૃત્યુ સુધીની સફર મળેલા શરીર સાથે કરવાનું … માર્ગદર્શન છે …
 
શરીર અને ચૈતન્યનો ભેદ સમજાવતું … ડહાપણ ( wisdom ) છે …
 
જીવાત્મા, મહાત્મા અને પરમાત્માની અવસ્થાનો … પરિચય છે …
 
વામન કે વિરાટ – એ સ્વરૂપની કલ્પના છે …
 
પણ,
 
મને લાગે છે કે,
 
‘એ’ ની અનુભુતી એ ‘એની’ સાથેનો એકાકાર છે …
 
એટલે,
 
જો ‘એ’ નથી તો એ મારૂં અજ્ઞાન છે …
 
કારણકે,
 
‘એ’ છે તો અહીં જ છે … મારામાંથી જ વિસ્તરે છે …
 
અને પછી અણુએ અણુંમાં થઇને સમગ્ર સૃષ્ટિને … પોતાના કવરેજ વિસ્તારમાં રાખે છે.
 
જીવન અને મરણ … શરીર સાથે સંબંધીત છે … ચેતના સાથે નહિં.

Read Full Post »

૦૧.૦૩.૦૯
 
સ્લમડોગ …. કે …. અરૂંધતિ રોયે લખેલ પુસ્તકને બુકર્સ પ્રાઇઝ મળવું …
 
સત્યજીત રે.. શ્યામ બેનેગલ જેવાઓએ સીનેમા જેવા શક્તિશાળી માધ્યમનો ઉપયોગ કરવાની તેમની આવડત કે કુશળતાનો ઉપયોગ કરતી વખતે શું વિચાર્યું હશે ? ( આર્ટફિલ્મની વ્યાખ્યા … કોણ કરે ? મહેશ ભટ્ટ ? )
 
ગાંધીજીએ મ.ઝીણા અને નહેરૂના મતભેદને ઉકેલવા કરેલ નિર્ણય પર સરદારે શું વિચાર્યું હશે ?
 
મહદઅંશે તમારી વાત સાચી છે .. દંભના આવરણ હેઠળ વિપરીત પરિસ્થિતિને અંકુશમાં લેવાની માત્ર બુધ્ધી ધરાવતા કહેવાતા સંસ્કારી, જ્ઞાની એવા લોકો પાસે એનો ઉપયોગ કરવાની આવડત છે કે કેમ ?
 
અને સૌથી મહત્વનું કે, આવડત હોય તો ….. એ અમલમાં મુકવા જેટલી હિંમત છે ?
 
મીંડાઓની દુનિયામાં એકડો થઇને જીવવું … એ અઘરૂં જરૂર છે. જે મીંડા એકડાને અનુસરે છે તેમનું મુલ્ય આપોઆપ વધી જ જાય છે.
 
ઓસ્કારે પોતાનું અવમુલ્યાંકન કર્યું હોય એમ મને લાગે છે.
 
ફિલ્મની વાર્તા અને વાસ્તવિકતા ને સંબંધિત કરવા કે નહીં તે મુદ્દો નથી.
 
વાર્તા કહેવાની રીત કેવી હોવી જોઇએ તે મુદ્દો છે.
 
એવી રીતે કહેવાયેલી વાર્તાની આમ ( ખાસ નહી ) જનસમુદાય પર કેવી અસર / કેવો પ્રભાવ પડશે તે મુદ્દો છે.
 
ઓસ્કારનું એન્ડોર્સમેન્ટ મળેલ વિચાર, વાર્તા, વ્યવહાર કેવા સમાજમાં કેટલી સરળતાથી સ્વિકારાઇ જતા હોય છે તે મુદ્દો છે.
 
ગંગા પણ આજે ગંદી થયેલી જણાય છે, એટલે ગંગાવતરણનો પ્રસંગ કહેવાની રીત બદલાઇ જાય ?
 
યમુનાને ચોખ્ખી કરવાની વાતો શરૂ થઇ છે એટલે … મોગલ સમયના દિવાને આમ અને દિવાને ખાસમાં યમુનાજળના થયેલ ઉપયોગની વાર્તા બદલાઇ જાય ?
 
ત્યારનું ભારત …. આજનું ભારત અને આવતી કાલનું ભારત કેવું ? ના જવાબ તુંડે તુંડે મતિ ભીન્ન જેવા મળશે.
 
એટલે, બદલાઇ રહેલા વાતાવરણ કે પરિસ્થિતિમાં કોડિયા જેટલી પણ રોશની આપી શકાય તો … ભયો ભયો !!

Read Full Post »

૦૧.૦૩.૦૯ / ૪૫૨૨ 

ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના શોખે મને લગભગ દરેક વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થાને જોવા માટેના વૈકલ્પિક દ્રષ્ટીકોણ શોધતા શીખવાડયું છે.

કોઇ પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર થઇ શકે અને આ ફેરફાર સુધારા કે બગાડની દિશામાં લઇ જાય.

જે આજે ન આવડતું હોય તે શીખી શકાય, શીખ્યા પછી એ આવડતના ઉપયોગે સમજાય કે … ક્ષમતા વધી કે ઘટી.

બે દ્રષ્ટાંત આપું ..

૧. મારા દાદાજીની પાયા,અડધા,પોણા જેવા દાખલા મોઢે ગણવાની આવડતમાં કેલક્યુલેટરે અવરોધ ઉભો કર્યો.

૨. મારા બાળકોનું ગણિત, કેલ્કયુલેટર વાપરવાની આવડતને કારણે સુધર્યું છે.

મારી સવાલ પૂછવાની આવડતમાં થઇ રહેલા ફેરફાર હવે હું જાતે અનુભવી શકું છું.

તો સારું – ખરાબ કે સાચું – ખોટું ને બદલે … બદલાઇ રહેલા વાતાવરણ સાથે વહેતા રહીએ તો જીવનનો આનંદ અકબંધ જ રહે છે, બલ્કે વધતો જાય છે.

એટલેકે, હું રામનામ લઇશ અને જો રામ કા નામ લે ઉસકા ભલા ઔર જો ન લે ઉસકા ભી ભલા … નો અભિગમ એટલીસ્ટ મને અને તૃપ્તિને તો જીવનનો આનંદ આપે જ છે.

અમારે જે કરવું છે તે અને અમને જે કરવું ગમે છે તે કરીએ છીએ.

અન્યો પણ કરે તો વધુ આનંદ, અને ના કરે તો આપણો આનંદ.

Read Full Post »