Podbean Podcast Site Category :   General   Tags :                          
Feed on
Posts
Comments

Archive for the 'મંથન' Category

4796

આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ.

ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું.

અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.

પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.

અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …

મજા ન આવી.

કારણકે,

જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું. શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.

મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.

કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.

આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.

સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.

મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,

મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.

ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.

આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.

સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?

મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.

પણ,

વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?

સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.

સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?

પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …

પણ,

ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.

તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?

પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?

મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.

મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,

રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ? (અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો

આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?

આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?

વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )

૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં

(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે

– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?

– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )

(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે

– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?

– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?

(ક) વાલીઓ અને માતા–પિતાને

– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?

– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?

એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?

લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?

લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?

લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?

કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.

જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.

તમે શું વિચારો છો ?

Read Full Post »

૦૧.૦૩.૦૯
 
સ્લમડોગ …. કે …. અરૂંધતિ રોયે લખેલ પુસ્તકને બુકર્સ પ્રાઇઝ મળવું …
 
સત્યજીત રે.. શ્યામ બેનેગલ જેવાઓએ સીનેમા જેવા શક્તિશાળી માધ્યમનો ઉપયોગ કરવાની તેમની આવડત કે કુશળતાનો ઉપયોગ કરતી વખતે શું વિચાર્યું હશે ? ( આર્ટફિલ્મની વ્યાખ્યા … કોણ કરે ? મહેશ ભટ્ટ ? )
 
ગાંધીજીએ મ.ઝીણા અને નહેરૂના મતભેદને ઉકેલવા કરેલ નિર્ણય પર સરદારે શું વિચાર્યું હશે ?
 
મહદઅંશે તમારી વાત સાચી છે .. દંભના આવરણ હેઠળ વિપરીત પરિસ્થિતિને અંકુશમાં લેવાની માત્ર બુધ્ધી ધરાવતા કહેવાતા સંસ્કારી, જ્ઞાની એવા લોકો પાસે એનો ઉપયોગ કરવાની આવડત છે કે કેમ ?
 
અને સૌથી મહત્વનું કે, આવડત હોય તો ….. એ અમલમાં મુકવા જેટલી હિંમત છે ?
 
મીંડાઓની દુનિયામાં એકડો થઇને જીવવું … એ અઘરૂં જરૂર છે. જે મીંડા એકડાને અનુસરે છે તેમનું મુલ્ય આપોઆપ વધી જ જાય છે.
 
ઓસ્કારે પોતાનું અવમુલ્યાંકન કર્યું હોય એમ મને લાગે છે.
 
ફિલ્મની વાર્તા અને વાસ્તવિકતા ને સંબંધિત કરવા કે નહીં તે મુદ્દો નથી.
 
વાર્તા કહેવાની રીત કેવી હોવી જોઇએ તે મુદ્દો છે.
 
એવી રીતે કહેવાયેલી વાર્તાની આમ ( ખાસ નહી ) જનસમુદાય પર કેવી અસર / કેવો પ્રભાવ પડશે તે મુદ્દો છે.
 
ઓસ્કારનું એન્ડોર્સમેન્ટ મળેલ વિચાર, વાર્તા, વ્યવહાર કેવા સમાજમાં કેટલી સરળતાથી સ્વિકારાઇ જતા હોય છે તે મુદ્દો છે.
 
ગંગા પણ આજે ગંદી થયેલી જણાય છે, એટલે ગંગાવતરણનો પ્રસંગ કહેવાની રીત બદલાઇ જાય ?
 
યમુનાને ચોખ્ખી કરવાની વાતો શરૂ થઇ છે એટલે … મોગલ સમયના દિવાને આમ અને દિવાને ખાસમાં યમુનાજળના થયેલ ઉપયોગની વાર્તા બદલાઇ જાય ?
 
ત્યારનું ભારત …. આજનું ભારત અને આવતી કાલનું ભારત કેવું ? ના જવાબ તુંડે તુંડે મતિ ભીન્ન જેવા મળશે.
 
એટલે, બદલાઇ રહેલા વાતાવરણ કે પરિસ્થિતિમાં કોડિયા જેટલી પણ રોશની આપી શકાય તો … ભયો ભયો !!

Read Full Post »

 

મારા પિતાશ્રીને તા. ૨૨મીએ જમણા થાપે ફ્રેક્ચર થયું. ૨૩મીએ સ્ટીલનો બોલ બેસાડવા ઓપરેશન કર્યું. ૮૩ વરસની ઉંમરે શરીરમાં અન્ય કોઇ બીમારી ન હોવાથી સરળતાપૂર્વક અને હેમખેમ રીતે ઓપરેશન થઇ શક્યું.

મારે રાત્રે પિતાશ્રી પાસે રાત્રે હોસ્પિટલમાં રોકાવું અને મારા મોટા ભાઇ, માતુશ્રી તેમજ તૃપ્તિ દિવસ દરમ્યાન પિતાશ્રીને કંપની આપે તેવી વ્યવસ્થા ગોઠવી.

૯ વરસથી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે સેવા બજાવતા ૨૮ વરસના કલ્યાણ અને ૨૩ વરસના મુકેશની વાત આજે કરવી છે.

કલ્યાણ – બારમુ પાસ કરીને વોર્ડબોયની નોકરી સ્વીકારી. પુરૂષ દર્દીઓને હુંફાળા પાણી વડે સ્પંજ કરવાનું કામ તેની મુખ્ય ફરજ. તેને ત્રણ દિવસથી નિયમિત રીતે સવારે ૬.૩૦ કલાકે ગુડમોર્નિંગના રણકા સાથે રૂમમાં પ્રવેશતો જોઉ છું. હળવા હાથે દર્દીના નાદુરસ્ત શરીરને જરૂરી જોર અને દબાણ સાથે સ્પંજ કરવાનું કામ કરવામાં તેને આનંદ લેતો જોઇને સહજ રીતે આશ્ચર્ય તો થાય જ ને ? પહેરેલા કપડા કાઢવા, દરેક અંગ અને અવયવને સાધારણ ગરમ પાણીમાં બોળીને નીચવેલા નેપકીન વડે સાફ કરે .. સાથે સાથે કોરા નેપકીનથી લૂછતો જાય .. માથું, વાળ, કપાળ, ગાલ, આંખ, કાન, કાનની બૂટ, નાક, દાઢી, ગળુ, હાથ, બગલ, કોણી, કાંડુ, ચારેય આંગળીઓ, અંગુઠો, નખ, છાતી, કમર, પીઠ (બરડો), જાંઘ, ઘુંટણ, પાની, પગની આંગળીઓ અને અંગૂઠો. નવા.. તાજા.. કોરા કપડા પહેરાવે .. કેથેટરની નળી, સલાઇનની સોય જેવા અટેચમેન્ટને ખલેલ્યા વગર!! …. તેના ચહેરાના ભાવ એવા કે તે પોતાના જ પિતાજીની સુશુશ્રા ના કરતો હોય ?

મુકેશ – સાતમી ચોપડી પાસ કરીને કામે વળગી ગયો. દર્દીને લઘુ અને ગુરૂશંકા થાય ત્યારે સેવા આપવી તેની મુખ્ય ફરજ. મોટી ઇંમરના.. ઓર્થોપેડિક સમસ્યાના દર્દીઓને પલંગમાં જ, બીછાને સુતા સુતા મળત્યાગ કરાવવાનું પછી સફાઇ કરવાનું કામ કેવું અને કેટલું અઘરું છે તે તેને જોયા પછી વધારે સારી રીતે સમજી શક્યો.

પોતાના .. સ્વજનોની સારવાર તો કદાચ સૌ કરે .. પણ .. તદ્દન અજાણ્યા વ્યક્તિની મોં પર સ્મિત સાથે આવી સેવા કરનારાઓને કદાચ આપણે નાના ગણવાની ભૂલ તો નથી કરતાંને ?

કોણ કહે છે, નાના માણસોને પ્રભુ મોટું દિલ નથી આપતો ??

મને તો હવે એમ લાગે છે કે …

આવા માનવીઓને નાના યે ના કહેવાય .. બલ્કે સાચા અર્થમાં બહુજ વિશાળ કદના વ્યક્તિ ગણાય.

 

Read Full Post »

Dear Kankshitbhai and Vimalbhai,

I am glad that this eForum has started vibrating. I agree and do believe that if at all we are looking forward to see THE CHANGE around us, we need to change ourselves as a FIRST STEP towards it.

The question here is WHAT TO CHANGE IN OURSELF ?

I THINK - We need to change the personal belief system.

We have to BEGIN BELIEVING THAT THE CHANGE IS POSSIBLE.

…… as we have thousands of people around us who have built a VERY STRONG belief of “NOTHING CAN BE CHANGED”

…. દા.તઃ ઉપરથી ભગવાન પણ ઉતરી આવે તો હવે આ દેશને કોઇ બચાવી શકે તેમ નથી.

…. એવું કહેનારાઓની વચ્ચે રહીને પણ આપણે એ માનવું જ રહ્યું કે ….

મારે જોઇતા પરિવર્તન માટેની શરૂઆત મારાથી જ થઇ શકે તેમ છે…

એટલે મારે મારી જૂની માન્યતાઓ છોડી, આ નવી માન્યતામાં શ્રધ્ધા રાખી અને મનોબળ મજબૂત કરીને ….

મારા વિચારોને મારા વર્તન તેમજ વ્યવહાર દ્વારા અમલમાં મૂકવાનું શરૂ કરી દેવું જોઇએ….

કદાચ શરૂઆતમાં આમ કરવામાં હિંમત ઓછી પડે કે ડગમગી પણ જવાય …

….. છતાં …. જબરજસ્ત ધિરજ સાથે લગે રહો !!! ….

તમને થતા ….. પ્રત્યેક અનુભવે તમે તમારુ મનોબળ મજબૂત થતું અનુભવશો……

મને થયેલા અનુભવે જ મને આ સમજ આપી છે.

ત્રણસોને સત્તરમો સંદેશ પોસ્ટ થયા પછી જ અહિ પરિણામ મળ્યુંને ? ( વાત ગંભીર છે પણ હળવાશથી લેજો …. ધીરજના ફળ મીઠા અને ઉતાવળે આંબા ના પાકે …. તે આનું નામ …)

આ જ ચર્ચાને અથવા આને સંબંધિત અન્ય વિષય પર આપણે અખિલટીવી ડોટ કોમ પર લાઇવ વેબકાસ્ટ દ્વારા પણ કરી શકીએ તેમ છીએ. તેની ખાસ નોંધ લેશો. આ માટે તમારુ પીસી માઇક, સ્પિકર અને વેબકેમ સાથે જોડેલું હોવું જોઇએ. …….

બાકીનું કામ મારે કરવાનું …..

બહુ સહેલુ છે. ચાલો ….

સાથે મળી વિશ્વના ઓટલે બેસીને એવી નક્કર યોજના બનાવીને અમલમાં મૂકીએ કે જેથી …

સાચા અર્થમાં ‘મેરા ભારત મહાન‘ બની જાય.

છો તૈયાર ??

Read Full Post »

માફ કરજો જો તમને મારા અભિપ્રાયમાં અવિવેક જણાયતો …

પણ એ જ લખી રહ્યો છું ; જે મને લાગી રહ્યું છે.

સારા.. સારા… સુંદર…  સુંદર… વિચારોના અસંખ્ય પાના લખાતા, વંચાતા જોયા છે …

વાહ.. વાહ… મેળવાઇ ગયા પછી …

… પછી અભરાઇ પર ચડી જતાં ય જણાયા છે.

… પછી ઉધઇ અને જીવડાં ઉછેરતાં ય જણાયા છે.

… પછી ઉપયોગમાં ય લઇ ન શકાય તેવી હાલતમાં જોયાં છે.

… પછી ફરી પાછા …

સારા.. સારા… સુંદર સુંદર વિચારોના અસંખ્ય પાના લખાતા, વંચાતા જોયા છે …

 

માનવતાવાદી … સમાજવાદી … પ્રાંતવાદી … ભાષાવાદી … સુધારાવાદી … કે કોઇ પણ વાદી વ્યક્તિઓનું સંગઠન બની શકે એવું મને લાગતું નથી …

…. વિચારને અમલમાં લાવવો હોય તો … વિચારની શક્તિનો અહેસાસ કરવો હોય તો …

બસ… પાવર ઓફ વન …..

એકડાની શક્તિ પર મને વિશ્વાસ છે …. કારણકે …..

એકડા વગરના મિંડા બનવું મને મંજુર નથી … … મિંડામાંથી એકડો બનવું અઘરૂ નથી …

મારાથી થાય તેટલું … તેવું .. આજે .. અત્યારે .. હમણાં જ વાતોના વડા કર્યા વગર …

નક્કર કામ કરવું છે … જે મને …એવું વાતાવરણ આપે જેમાં શ્વાસ લેવાનું મને ગમે.

Since November 26th .. નવેમ્બર ૨૬થી

in all directions,  જયાં જુઓ ત્યાં

everywhere ….everybody is seen to be TALKING TALKING and TALKING.

બધા વાતો …. જ વાતો …. કરે છે.

print and eMedia … are worried about the security & safety of the 125 billion people country …as if NO OTHER is …

અખબાર અને ટેલિવિઝન …વાળાઓને જ જાણે ૧૨૫ કરોડ લોકોની વસતી ધરાવતા આ દેશની ચિંતા હોય અને બીજા કોઇને નહી …

WHAT DO YOU THINK ?

તમે શું વિચારો છો ?

- HAS ANY OF THEM EVOLVED AN ACTION PLAN TO COMBAT THE SITUATION ?

શું તેમનામાંથી કોઇએ પણ આવી પરિસ્થતિને અંકુશ કે નિયંત્રણમાં લઇને ભવિષ્યમાં ફરી આવું ન જ બને તેવો એક્શન પ્લાન .. અમલમાં મૂકી શકાય તેવો પ્લાન બનાવ્યો છે ?

- DOES ANY ONE OF THEM APPEAR TO BE SINCERE ENOUGH TO SAY “ENOUGH IS ENOUGH” ?

‘હવે બહુ થયુ .. હવે આ રોકવું જ જોઇએ‘ ના સવાર, બપોર અને સાંજે વાગતા તેમના વાજાં કે નગારાંમાં તેમની કર્તવ્ય નિષ્ઠા તમને જણાય છે ?

- DO YOU ENDORSE ANY ONE OF THEM FOR WHAT THEY SAY AND HOW THEY SHOW ?

તેઓ જે કહે છે કે જે, જેવું અને જેવી રીતે બતાડે છે તે પર તમને વિશ્ચાસ કે ભરોસો છે ?

Do you think its time to take small action rather than talking BIG things ?

તમે માનો છો કે હવે મોટી મોટી વાતો કરવાને બદલે ….. ભલે, નાના તો નાના…. પણ જોઇતા પરિણામ મેળવવા નકકર કામ કરવા …. એક્શન લેવી જરૂરી છે ?

Will it be possible for you to spare just ONE hour every week to inspire & educate undereducated people to ensure that they dont get carried away with some liqour and biriyani but reject politicians who are useless ?

તમે દર અઠવાડિયે ફક્ત એક વખત તમારા વિસ્તારના ફક્ત પાંચ અશિક્ષિત વ્યક્તિઓને આવી રહેલી ચુંટણીમાં નાલાયક પોલિટીશીયન્સની ઓળખ આપીને, તેમના દારુ કે બીરીયાનીની લાલચથી દૂર રહીને સફાયો કરવાની પ્રેરણા આપવા માટે પ્રામાણિકતાથી નિયમિત રીતે એક કલાકનો સમય ફાળવી શકશો ?

Believe in your self …. તમને તમારી જાત પર તો ભરોસો છે ને ?

તમારી પાસે બે વિકલ્પ છે.

૧. પીસી શટડાઉન કરીને … ઉભા થાઓ … દેશદાઝમાં તમે સળગી રહ્યા છો એ સાબિત કરવા .. કામે વળગો.

૨. નાલાયક પોલિટીશીયનોની વારતા માંડીને બેઠેલી ચેનલો સામે બેસી રહો અને સારા… સારા…. ભારેખમ શબ્દોમાં અમલમાં ના મૂકી શકાય તેવી વાતો સાંભળ્યા કરો.

જયહિંદ.

Read Full Post »

મુંબઇમાં સાંભળેલી નહીં પણ સગી આંખે જોયેલી વાત.. ઘટના .. ક્રમ ..સીલસીલો છે.

ઝેરના પારખા ના હોય …પણ

ગળે કદી ન ઉતરી શકે…

અરે, આવું હોઇ શકે એવું …

મને તો સ્વપનુ પણ ૫૧ વરસના જીવનમાં આવ્યું નથી…

સંસ્કારથી લાખ્ખો માઇલ દૂર …

ગણ્યા ગણાય નહી તેટલા વ્યસનોથી ગ્રસ્ત …

છડે ચોક .. અસભ્યતા .. અશ્લિલતા …નો

આવો તે કેવો અનુભવ થયો …

બે દિવસ સુધી અસ્વસ્થતાએ મને ઘેરી રાખ્યો.

જોયેલું … સાંભળેલું … પડઘાયા કરતું હતુ.

દિમાગ બહેર મારી ગયું … દિલ વ્યક્ત કરી ન શકાય તેવી લાગણી અનુભવી રહ્યું હતુ…

પ્રેશર કુકર પર જે કામ સીસોટી કરે તે કામ કદાચ મારો બ્લોગ કરશે ….

સર્વે કર્યો … સવાલનો જવાબ સૌએ ‘હા‘ માં જ આપ્યો. એટલે લખવાનુ શરૂ કર્યુ છે.

અંતરના ઊંડાણમાંથી મંથન કરીને આ વાત રજુ કરવાનો પ્રયાસ કરું છુ.

બધા જ નામ, અટક, સ્થળ બદલી નાખ્યા છે.

કેટલાક .. ગુજરાતી પરિવારો (સંખ્યા મોટી છે)ના આધેડ પુરૂષો, પ્રૌઢ મહિલાઓ, યુવાનો અને તરૂણ બાળકોના ગંદા, વિકૃત, વાસનાયુક્ત, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદત, સંબંધ, સ્વચ્છંદતા …. જોયા બાદ …

ખાસ નોંધઃ
 
બે–ત્રણ મિત્રોએ આ લખવાની ના પણ પાડી છે. એમને લાગ્યું કે, સમાજમાં જયાં જે નકામું છે તેને પ્રસિધ્ધી શા માટે આપવી ? સર્વેમાં વ્યક્ત થયેલા મારા વિચારમાંથી જ મને થયેલા દુઃખનો અંદાજ કાઢીને એમણે આમ પણ જણાવ્યું કે …. તમે જે કરો છો તેમાં જ મસ્ત રહો .. વધુ વિચારીને … આ લખવામાં તમે વધુ દુઃખી થશો……છતાં… . અખિલ ટીવીના મિત્રો માટે આ અનુભવ આજે ૧૮મી નવેમ્બરે લખવો શરૂ કરૂ છું.

પ્રકરણ ૧

તા.૧૫.૧૧.૦૮

સમય સવારે ૬.૪૫ થી ૯.૩૦

સવારે સુરતથી મુંબઇ જતી ફ્લાઇંગ રાણીમાં વલસાડથી રોજ અપડાઉન કરનારા સતિશની નજર મારા પર પડી, મારી નજીક આવ્યો અને મને તેણે આમંત્રણ આપ્યું તેના મિત્રમંડળ સાથે આરામથી બારી પાસે બેસીને જવા માટે. ૩૬૫ દિવસ ભરચક જતી, સુરતથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે મરોલી, નવસારી, બિલિમોરા, વલસાડ, વાપી, દહાણુ, પાલઘર, બોરીવલી અને અંધેરી જેવા સ્ટેશનોએ થોભતી, બાવિસમાંથી ૧૮ ડબલડેકર કોચવાળી આ સુપરફાસ્ટ એક્ષપ્રેસ ટ્રેનમાં સતિષ જેવાનું આમંત્રણ જેમને નહોતુ મળ્યું એવા સૌ ટીકીટધારકોએ પાસધારકોની મહેરબાની મેળવીને રૂ. ૮નો સુપરફાસ્ટ ચાર્જ ચૂકવીને લગભગ અઢી કલાકની મુસાફરી ઊભા ઊભા જ કરવાની હતી. દાળ વાળા, શીંગ વાળા, ચા વાળા, પાઉવડા વાળા, ગુટકા–સીગારેટવાળા અને એવા તો અનેક ફેરિયાઓ તેમને શાંતિથી ઊભા પણ રહેવા દેતા ન હતા.

સતિષે તેના મિત્રો સાથે પરિચય કરાવવો શરૂ કર્યો. ગગન, વિશાલ, મધુ, પ્રવિણ, જેકબ, ઝાહિર, સુલતાન અને જોષીસાહેબ. સ્થાનિક વેપારીઓ અને કારખાના કે ફેક્ટરીઓ માટે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ મુંબઇ શહેરના જુદા જુદા વિસ્તારોની રઝળપાટ કરીને લાવી આપવાનુ કામ કરનારા આર્થિક રીતે મધ્યમ વર્ગના આ ઓછુ ભણેલા ૨૨ થી ૩૫ વરસની વય જુથના યુવાનો રોજે રોજ ચોક્કસ કોચમાં .. ચોક્ક્સ કમ્પાર્ટમેન્ટમાં .. ચોક્કસ સીટ કે પાટિયા પર બેસીને .. પાના રમતાં રમતાં જવાને ટેવાયેલા લાગ્યા. એકલદોકલ ટીકીટધારક જો આવી ચડે .. અને બેસવાની જગ્યા માટે વિનંતી કરે તો … છેલ્લી પાયરીની ભાષામાં ….આગળ જવાનુ કહેવામાં આવે.પહેલા ત્રણ બટન ખુલ્લા, મોંમાં તમાકુવાળા પાનનો ચાવી મુકેલો કૂચો, ગળી ન શકાય તેવા ગળફાને ગળામાં રાખીને બોલાતી ગાળ સાંભળીને … કોઇને પણ થાય કે કયાં સવાર સવારમાં આ ભટકાણો ? જે ચા કે કોફી રૂ. પાંચમાં આમ જનતાને વેચાતી હોય તે આવા અપડાઉનીયાઓને રૂ. પાંચમાં બે ને ભાવે પૈસા શામકો મીલેગા ..ના ક્રેડીટકાર્ડ પર અપાતી હોય. ચાલૂ ગાડીએ બારીની બહાર .. દૂરથી મંદિરના દર્શન થાય એટલે .. બાપા સીતારામ કે જલારામ બાપાકી જય .. જય સ્વામીનારાયણ કે હરી ૐ … નો નાદ થાય. ચંપલ, બૂટ … પગરખાં નીચે મૂકીને જ ઊપરને પાટિયે ચડવાનું. ઉતરનારની જગ્યા ત્યાં ઊભેલાને નહી પણ તે સ્ટેશનેથી ચડેલા તેમના ‘માણસ‘ માટે આરક્ષિત રહે.

સતિષે મારી ઓળખાણ સૌને આપતાં કહ્યું કે… આ અખિલભાઇ છે, બહુ કામના માણસ છે. હું વિચારવા માંડયો કે .. કેવીરીતે ? હજુ કંઇ કામ તો કર્યુ કે કહ્યું યે નથી ! હશે ..

બાજુમાં જોષીસાહેબ બેઠા હતા. મધ્યમ વર્ગના.. અડધી બાંયનો બુશકોટ, ખીસામાં મોબાઇલ, પેન, પરચૂરણ, દોરી બાંધેલા ચશ્મા, કાળા રંગનુ પેન્ટ, બ્રાઉન સેન્ડલ, પાતળી મૂછ, સફાઇદાર દાઢી, ૪૫ના હશે એવી મારી કલ્પના ખોટી પડી. ૫૯ની ઉંમરે તેમણે અપડાઉનના ૩૦ વરસ પૂર્ણ કર્યા છે. મુંબઇની એક ખાનગી કંપનીમાં તેઓ નોકરી કરે. બોરીવલી ઉતરી બસમાં ઘણુ ખરૂં ઊભા ઊભા મલાડ – ગોરેગાંવ વચ્ચેના વિસ્તારમાં લિંક રોડ પર આવેલી ઓફિસે જાય. સાંજે વળતાં અંધેરીથી ફરી પાછી ફ્લાઇંગ રાણી પકડવાની. મારાથી રહેવાયું નહી… પૂછી નાખ્યા થોડા સવાલ … આ ઉંમરે આટલી હાડમારી શા માટે ? પરિવારમાં કોણ કોણ ? દિકરા–દિકરીઓ શું કરે છે ? પત્નિ ? તેમને માટે કેટલો સમય મળે છે ? તમે તેમની સાથે કેટલુ જીવો છો ? આવક–જાવકનુ સમીકરણ કેવી રીતે સચવાય છે ? ….. મારી સામે તેઓ જોઇ રહ્યા. .. હું મુંઝાયો .. ક્ષોભ થયો કે, પહેલી જ મુલાકાતમાં આવું પૂછાય ? …

દહાણુ સ્ટેશનમાં ટ્રેને પ્રવેશ કર્યો.. ધીમી પડી .. ઊભી રહી .. બારીમાં આવીને કાન પાસે એક ફેરિયાએ પોતાનો માલ વેચવા તારસપ્તકમાં બૂમ પાડી … મારા જમણા હાથની ટચલી આંગળી તરત કાન પાસે પહોંચી ગઇ અને રક્ષણાત્મક ક્રિયા કરી રહી… જોષીસાહેબ મલક્યા અને બોલ્યા ઘણા ઘોંઘાટ વચ્ચે જીવન ખેંચીએ છીએ. અમારે તો આ રોજનું થયું .. કાન બહેરા અને આંખ આંધળી થઇ ગઇ છે. જે જેવું હોવું જોઇએ તે તેવું નથી .. જે હોવુ જ ન જોઇએ તે જ (ગાળ) સામે ને સામે આવે છે .. જે ગાળ જેવી રીતે બોલાઇ તેમાં તેમનો પરિસ્થિતી સામેનો આક્રોશ છલકાતો હતો… માફ કરજો, મારી ભાષા બગડી પણ .. યાર, આ જમાનામાં જીવવું હોય તો હવે દાદાગીરી જ કરવી પડે છે. લોકો હવે સીધીરીતે સાંભળતા નથી અને સરખી રીતે જીવવા નથી દેતા. જેના નસીબમાં જયાંના રોજીરોટી હોય ત્યાં રોજ સલામ મારવા જવાનુ. શેઠીયાની સાત વાત સાંભળવાનો જ પગાર મળે છે એમ માનીએ તો જ જીવાય.ઉપરવાળો પણ યાર એવો છે ને કે …. જેને પૈસાની જરૂર છે તેને તડપાવે અને આપે છે તેને લખલૂટ … ખોબેખોબા ભરીને … અમીર બાપની ઓલાદોને તો પૈસાની નવાઇ જ ના હોય .. એક કહેતા દસ મળતા હોય … માટલાને તો ઓળખતા જ ના હોય … મીનેરલ વોટર વગર તો ચાલે જ નહી.. દુનિયાભરના દુર્ગુણો એમનામાં દેખાય. નાની .. કાચી ઉંમરે વાપરવા મળતા પૈસા વેડફતા થઇ જાય.. છેલ્લા દસ વરસ દરમ્યાન ટેલીવીઝન પર આવતા કાર્યક્રમોએ તો સામાજિક જીવનની … પૈણી નાંખી છે. એમાં બી સાલી પેલી …. નામ એકતા … અને તેની સીરીયલો ઘરને તોડવાનુ કામ કરે… લોકો બી … યાર… એવા તો (ગાળ) છે ને કે, આ ટીવી વાળા (ગાળ) બનાવે છે તેમ બોલતા બી જાય અને (ગાળ) બનતા બી જાય. મધ્યમ વર્ગના મારા જેવા માણસનો મહિનાનો ખર્ચ આ બધાને લીધે બમણો થઇ ગયો છે … અને તે વધતો જ જાય છે. ઘરના લોકોને સાહેબી જોઇએ છે પણ મહેનત કરીને પૈસા લાવતા (ગાળ) કેટલી લાલ થઇ જાય છે તે ખબર છે ? .. આપણે કહીએ કે આ (ગાળ) લોકોને તો આ અભિનય કરવાના પૈસા મળે છે. અને તમે તેની સામે કલાકો સુધી બેસીને (ગાળ) લાઇટનાબીલ મોટા કરો છો. ….. પ્રત્યેક વાક્યે વધતી જતી ગાળની સંખ્યાથી અંદાજ આવી રહ્યો હતો કે વર્તમાન પરિસ્થિતીમાં કોમન મેન કેટલો પરેશાન છે. …. મેં પૂછયું, તમારે નોકરીમાં શું કરવાનું ? આઇ મીન, નેચર ઓફ યોર વર્ક ? …….. જવાબ સાંભળીને હું … સજજડ થઇ ગયો… ઐયાશ શેઠીયાની લફરાબાજ પત્નિના વંઠી ગયેલા દિકરા દિકરીની જરૂરીયાત પૂરી પાડવાની…બાપદાદાની સચવાય નહી એટલી મિલકતમાં મુંબઇમાં કેટલીક જમીન વેચીને કરોડો તેમાં ઉમેર્યા .. અને હવે …. આ જ તેમનો ધંધો.

વધુ .. આવતા અંકે.

Read Full Post »

 હિનાબહેન પારેખની મેઇલમાં સીગ્નેચર વાંચી …

… ( If you become a little more silent, more and more joy will arise out of you.The moment you are totally silent infinite exposion of joy happens.-Osho )

તમારી દુનિયામાં તમે મસ્ત હો તો બાકીના શું કરે છે નો તો કદાચ વિચાર પણ ન આવે…

ખાલી હાથે આવ્યા હતા .. ખાલી હાથે જવાના છીએ … તે પણ જાણીએ જ છીએને ?? બાકી … જીવવા જેટલા જરૂરી દામ મળી રહે .. ગમતું કામ મળી રહે તો … પછી નામ કમાવાની ક્યાં જરૂર જ છે ?

અસ્તિત્વને ઓગાળીને જીવવાની મજા લેવા જેવી ખરી હોં !

દોસ્તો,

રાજકોટ, નવી દિલ્હી, મથુરા, આગ્રા અને ઉદયપુરના પ્રવાસેથી પાછા આવીને પહેલુ કામ … અખિલ ટીવી ડોટ કોમના સ્વરુપને બદલવાનુ કર્યું. આશા છે તમને ગમશે. ત્રણ દિવસ માટે મુંબઇના પ્રવાસે જઇ રહ્યો છું.

પરત આવીને લાઇવ કાર્યક્રમો દ્વારા આપ સૌને મારા પ્રવાસ દરમ્યાન થયેલા અનુભવની વાતો કરીશ. થોડી પ્રતિક્ષા જરૂરથી કરી લેશો

અને આ દરમ્યાન જોતા રહો … www.akhiltv.com

Read Full Post »

 

મિત્રો,

પ્રેરણાદાયી ટૂકી વિડીયો ફિલ્મ્સ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ કોલેજમાં ભણતા સ્થાનિક વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાનનો મજબૂત પાયો નંખાઇ ગયો છે.

તા.૦૧.૧૦.૨૦૦૮

ને રમજાન ઇદની રજા જાહેર થવાથી ગુજરાતના સુરત શહેરની જીવનભારતી સ્કૂલના બાળકો માટે યોજેલ ફિલ્મ શો એક દિવસ વહેલો એટલેકે, તા. ૩૦.૦૯.૨૦૦૮ના રોજ ગોઠવી દીધો.

માધ્યમિક વિભાગના ૫૫૦ વિદ્યાર્થીઓને સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.

ફિલ્મોના ટાઇટલ્સઃ ફયુચર ઓફ ઇન્ડીયા, બાળપણ, મુંબઇની માયા, ગોદાવરીને કિનારે, કાવેરીને કિનારે, જીવનયાત્રા.

પ્રત્યેક ફિલ્મને અંતે એક સવાલ તો પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”

મળેલા જવાબો સાંભળીને …. વિશ્વાસ મજબૂત થયો કે, ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેમની વિચારવાની ક્ષમતા સાહસયુક્ત છે. એટલેકે .. કરેલા વિચારને અમલમાં મૂકીને પરિણામ મેળવવાનુ સાહસ કરી શકે તેમ છે. શરૂઆતમાં થોડા શરમાળ .. પણ પછી .. અત્યંત વાચાળ જણાયા. મર્યાદામાં રહીને જટીલ વિષયને લગતા સવાલ પૂછી શકયા .. તેમણે એવું પણ ટાંકયુ કે, ” સર, આવા સવાલ પપ્પા કે મમ્મીને કદાચ ના પૂછી શકીએ .. બીક લાગે.”

ગુજરાતી માધ્યમમાં ભણતા આ બાળકો સાથેના સંવાદમાં એવું લાગ્યું કે, અંગ્રેજી માધ્યમના ભણતરને બદલે અંગ્રેજી ભાષાના જ્ઞાનને વધારે મહત્વ આપીને શિક્ષણ લેનારા બાળકોની  વિચારવાની રીત વધારે મૌલિક હોય છે.

મને અંગત રીતે એવું લાગ્યું કે, આ વિદ્યાર્થીઓનો શારિરિક વિકાસ નબળો કહેવાય. મનના વિકાસની સરખામણીએ તનની તંદુરસ્તી પાછળ રહી ગઇ હોય એમ જોયું. તન અને મનની વૃધ્ધી વત્તા વિકાસ, ઉંમર સાથે, સરખા પ્રમાણમાં થાય તે ઇચ્છનિય છે.

ત્યાર બાદ,

પ્રાથમિક વિભાગના ૬૫૦ વિદ્યાર્થીઓને બપોરે ૧.૩૦ થી ૩.૦૦ દરમ્યાન એ જ ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.

પ્રત્યેક ફિલ્મને અંતે સવાલ પણ એજ પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”

અને એક વધારાનો સવાલ પણ પૂછયોકે …. ” ફિલ્મમાં જે પરિસ્થિતિ જોઇ તેમાં સુધારો કરવા શું કરવું જોઇએ? ”

જે જવાબો મળ્યા તેનાથી આ બાળકો દેશ માટે, પોતાના શહેરની વ્યવસ્થા અંગે શુ વિચારે છે અને શુ વિચારી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.

નાજુક બાંધાના બાળકો આગળ બેસવા મળે તે માટે એક જ ખુરશીમાં બબ્બે જણ પણ બેસી ગયા હતા ..અત્યંત ચંચળ અને ચબરાક બાળકોએ મને એટલા સવાલો પૂછયા કે જવાબ આપતા થકવી માર્યો. …. અન્યોના બાળકો મને આટલી જ વારમાં અપનાવીને આત્મિય કરી લે એ પણ એક અદભૂત અનુભવ થયો.

અખિલટીવીની વેબસાઇટ પર આવીને મને ફોન કરનારા બાળકોની સંખ્યા વધવા માંડી છે.

તા. ૦૨.૧૦.૨૦૦૮

ગાંધીજયંતિ નિમિત્તે જાહેર રજાના દિવસે સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન યોજેલ કાર્યક્રમનુ જાહેર આમંત્રણ ઇમેઇલ દ્વારા ૩૦૦૦૦ જેટલા વિશ્વભરમાં ફેલાયેલા અને ઇન્ટરનેટ વાપરનારા ગુજરાતીઓને મોકલાયુ, ત્રણ રીમાઇન્ડર અપાયા, સુરતની બહાર વસતા મિત્રોને વિનંતિ કરાઇ કે તમારા સુરત ખાતે રહેતા સબંધીઓને જાણ કરજો ..સુરતના ત્રણ સ્થાનિક અખબારોએ પ્રેસનોટ પ્રકાશિત કરી. લોકલ કેબલ ચેનલના સમાચારમાં આ કાર્યક્રમના ઉદેશ્ય અને આયોજનની સંક્ષિપ્ત જાણકારી અપાઇ હતી …. આ સૌને પરિણામે ..

સુરત શહેરના ૪૨, વલસાડથી ૧૨, વડોદરાથી ૨ અને ચીખલીથી ૧ એમ કુલ ૫૭ વ્યક્તિઓ સભાગૃહમાં હતા !! મારા પરિવાર, સબંધીઓ અને સહાયમાં રહેલા મિત્રોની સખ્યાનો આમાં સમાવેશ નથી કર્યો. ( જો તમે કહી શકો કે, આ સંખ્યા મોટી કરવામાં કયાં –શું ચૂકી ગયો.. તો મને હવે આગળના આયોજનમાં કામ લાગશે. )

શાળાના પ્રબંધન દ્વારા સાધનોની ઉપલબ્ધી થવામાં થયેલા વિલંબને કારણે કાર્યક્રમ ૧૫ મીનીટ મોડો શરૂ થયો.  

– સ્વાગત, – ગાંધીવંદના, – પ્રેરણામૂર્તિઓ, – આ પ્રોજેક્ટમાં અખિલટીવીની ભૂમિકા, – ભારતનુ ભવિષ્ય, – મુંબઇ તારી માયા, – ગોદાવરીને કિનારે, – માર્ગદર્શનનો પરિચય 

જેવી વિડીયો ફિલ્મ્સ પ્રદર્શિત કરી.

સવાલ જવાબ થયા.

અમારી અપેક્ષા તો એટલી જ કે, તમારે તો ફક્ત અમને એક શાળા સાથે જોડવાનું જ કામ કરવાનું છે. 

કોણે અને અન્યોએ શુ કરવુ જોઇએ એ વધારે કેન્દ્રમાં રહ્યુ ..

( મારા મનમાં સવાલ છે કે, કેમ આપણે નિષ્ક્રીય થવા માંડયા છીએ ? )

ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત ‘બાપુને કહા થા‘ પ્રદર્શિત કરી.

બપોરે ૧.૨૦ કલાકે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો.

 

છેલ્લે …… 

 

જે કરવા નક્કી કર્યું છે તે તો અમે કરવાના જ.

કારણકે … મનોબળ વધુ મજબૂત થયું છે.

 

Read Full Post »

આખી દુનિયા જાણે છે કે,  

આતંકવાદ ફેલાવવામાં  

– કોણ સક્રિય છે.

– કયા દેશમાં આતંકવાદના કેમ્પ યોજાય છે.

– કઇ અને કેટલી કોમ તેને ઉછેરવાનું કામ કરે છે.

– કયા રાષ્ટ્રો તેમને આર્થિક મદદ કરે છે.

– કોણ ભાગ લે છે.

– કોણ પકડાય છે.

– કોણ ભોગ બને છે

– કેટલુ નુકશાન થાય છે

– કેટલી કિંમત ચુકવાય છે

– વિકાસ અને પ્રગતિના કાર્યો સામે કેવા અવરોધ ઉભા થાય છે

– રાષ્ટ્રની પ્રતિષ્ઠા / આબરૂનુ ….શું થાય છે.  

આ બધુ તમે પણ જાણતા જ હશો.  

મને લાગે છે કે એક બીજી કોમ પણ અસ્તિત્વમાં આવી છે.

સ્યુડોસેકયુલર.

આમની પાસે કોઇ કામ–ધંધો છે જ નહીં.

મને તો લાગે છે કે આ કિન્નરોના વંશજ છે.

જેના અસ્તિત્વને પણ હવે ગણત્રીમાં લેવામાં આવતું નથી.

પાયાની વાત એ છે,

વ્યક્તિ વધુમતિ કોમનો હોય કે લઘુમિતિ કોમનો ..

જે રાષ્ટ્રમાં તે રહેતો હોય ત્યાના કાયદા અને વ્યવસ્થા તેણે સ્વીકારવા જ પડે.

પોતાના કાયદે રહેવું હોય તો જે/તે કોમની વધુમતિ જે રાષ્ટ્રમાં હોય ત્યાં જતા રહેવાનું.

ધર્મપ્રેમ ઘરની અંદર રાખવાનો  .. અને રાષ્ટ્રપ્રેમ લઇને જ ઘરની બહાર નિકળવાનુ.

જરૂર લાગે તો …..

શોપિંગ મોલ્સની જેમ મંદિરમોલ્સ બાંધી દેવાના …

બધા જ ભગવાન, ઇશ્ચર … એક જ સાથે, એક જ જગ્યાએ !!

યા તો બધાને બોમ્બ મુકીને ઉડાવો કે પછી સૌની ઉપાસના કરો !!

અરે, ભાઇ … તે .. તો માણસની અંદર છે .. પત્થરમાં નહીં.

વિશ્વશાંતિ કદાચ તો જ સંભવ છે, જો ધર્મ ઝનુનને રાષ્ટ્રપ્રેમમાં ફેરવી નાખવામાં આવે.

અમારા પ્રેરણાદાયી ફિલ્મશો નો આ પણ એક હેતુ છે. કે, વિદ્યાર્થીઓ અને યુવાનોની શામેલગીરી વડે વર્તમાન વ્યવસ્થા કે પરિસ્થિતિમાં કેવુ પરિવર્તન કેવી રીતે અમલમાં લાવી શકાય કે જેથી આવી સમસ્યાનો અંત આવે.

‘આ પરિસ્થિતિમાં કોઇ ફેર નહી પડે‘ની માન્યતાવાળાઓથી અમે દૂર રહીએ છીએ.

‘માત્ર વાતોના વડા કરનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

‘સ્ટેજ પર બેસીને રાષ્ટ્રિયતાને બદલે બીનસાંપ્રદાયિકતા કે સાંપ્રદાયિકતાની પીપુડી વગાડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

‘કોણે, કયાં,શું કરવું જોઇએની માત્ર સલાહ આપનારા અને વિચારને અમલમાં મૂકવાથી ફસકી પડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

પણ …

આ દિશામાં … તનની પરવા રાખ્યા વગર અને મનની સચ્ચાઇ સાથે દેશદાઝથી સળગી રહેલા તમામ વ્યક્તિ / સંસ્થાઓને અમારો સહયોગ છે.

છેલ્લે … પરિવર્તન વાતો / ચર્ચા / મીટીંગો કરવાથી જ થતુ હોત તો કયારનુયે થઇ ગયુ હોત.

તમને શું લાગે છે ?

છતાં …. કોઇ નક્કર કાર્ય હાથ પર લેવું હોય તો જરૂર કહેજો.

Read Full Post »

 

પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ્સ દ્વારા

સ્થાનિક વિધ્યાર્થીઓ અને યુવાનોને

વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન 

માર્ગદર્શન

ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા આપને અમારુ હાર્દિક આમંત્રણ છે.

તારીખ – ગુરુવાર,  ૨ જી ઓક્ટોબર, ૨૦૦૮ ( જાહેર રજા – ગાંધીજયંતી )

સમય – સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ ( સમયસર શરૂઆત અને સમયસર સમાપન )

સ્થળ – રંગભવન, જીવનભારતી, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત. ( બેઠક વ્યવસ્થા ૫૫૦ વ્યક્તિઓની છે.)

– કાર્યક્રમ –

તમારા મોબાઇલ ફોન્સ કાર્યક્રમમાં અધવચ્ચે રણકી ન ઉઠે તે માટે સાઇલેન્ટ/વાઇબ્રેટ મોડમાં કરીને જ સભાગૃહમાં પ્રવેશ કરવા વિનંતી.

૦૯.૪૫ – ૦૯.૫૮- સભાગૃહમાં બેઠક લઇ લેવી.

૧૦.૦૦ – ૧૦.૧૦ - ગાંધીજીને વંદન, વૈશ્નવજન તો …  ફિલ્મ. (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)

૧૦.૧૦ – ૧૦.૩૦ -દિમાગની વાત, દિલથી – અખિલ સુતરીઆ ( નથી કોઇ અતિથીવિશેષ, નથી કોઇ મુખ્ય મહેમાન કારણકે ….  અને આજે, અત્યારે, અહીં …. આયોજક, સંચાલક અને પ્રાયોજક …) (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)

૧૦.૩૦ – ૧૦.૪૦ - ત્રણ ફિલ્મોનુ સ્ક્રીનીંગ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)

૧૦.૪૦ – ૧૧.૧૦ - પ્રોજેક્ટ માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી અને જાણકારી .. મલ્ટીમીડીઆ પ્રેઝેન્ટેશન (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)

૧૧.૧૦ – ૧૧.૫૫ - સૌને સ્પર્શતા તમારા સવાલના જવાબ અને સંવાદ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)

૧૧.૫૫ – ૧૨.૫૨ - ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ ” બાપૂને કહા થા” (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)

૧૨.૫૨ – ૧૨.૫૭ - અને છેલ્લે બે શબ્દો.

૧૨.૫૭ – ૦૧.૦૦ - રાષ્ટ્રગીત. – કાર્યક્રમની સમાપ્તિ.

૦૧.૦૦ – ૦૧.૩૦ - માર્ગદર્શનની ટીમમાં જોડાવા ઇચ્છુકોનુ રજીસ્ટ્રેશન અને વ્યક્તિગત સવાલોના વ્યક્તિગત જવાબ.

ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનોમાં સંસ્કાર સિંચનનો નવો ચીલો ચાતરતો આ કાર્યક્રમ રસ ધરાવનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના ઉપક્રમે તદ્દન નિઃશુલ્ક યોજી શકાશે.

તૃપ્તિ અને અખિલ સુતરીઆ.

મોબાઇલ – ૯૪૨૭ ૨૨૨ ૭૭૭. |  ફોન – ૦૨૬૩૨ ૨૪૩૪૭૪. |   વેબ – www.akhiltv.com

Read Full Post »

 

વાત જાણે એમ છે કે,

અરે, નિતાબહેન, એમાં કંઇ પૂછવાનુ હોય ?

તમે પૂછયું તેનો આનંદ તો થયો જ છે.

ઇન્ટરનેટની દુનિયામાં તો કદાચ ૯૦ ટકા વપરાશકર્તાનો ધંધો કટ, કોપી અને પેસ્ટ પર ચાલે છે !!!!

ફોરવર્ડ કે સેન્ડનુ બટન ક્લિક કરતાં પહેલા પોતાના બે અક્ષર પાડવાનુ કામ પણ ભાગ્યે જ કોક કરે છે.

જેમની પાસેથી તેમના પર એ લખાણ આવ્યુ હોય કે તેના મૂળ લેખકનુ નામ પણ કયારેક તો ઉડાવી દઇને પોતાને નામે …. !!!

ચાલ્યા કરે !!

અગાઉની એક મેલમાં આજે જ સવારે જણાવ્યુ તેમ, મૌલિક રીતે પોતાનુ લખનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે …. !!!

બસ …. પોતા પર આવેલુ લખાણ બહુ જ સરસ લાગે એટલે પોતાના જ મિત્રો પર ધકેલી દેતા લોકોની આ ટેવ જ કદાચ એકની એક મેલ વારંવાર મળવાનુ કારણ હોઇ શકે…. ખરૂને ???

તમે આપણા પ્રોજેક્ટ માર્ગદર્શનના ફન્ડ રેઇઝીંગમાં મદદ કરી શકો તો ખૂબ જ આનંદ થશે.

માહિતી માટે આ લીંક ક્લિક કરો – http://www.akhiltv.com/md.htm neeta kotecha wrote:

akhil bhai ganpati bapa na phota ane aa badhu hu copy kari saku ne blog mate???????????????

Read Full Post »

આ પત્ર બે ભાગમાં લખી રહ્યો છુ –  દરેક સીક્કાને બે બાજુઓ હોય છે.

 

ભાગ – ૧ ( ભૂરા રંગના ફોન્ટ )

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સેટેલાઇટ ચેનલોવાળા …

આશારામબાપૂની પાછળ પડી ગયા છે …

આશ્રમમાં બાળકોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ ..

સાધકો અને પત્રકારો વચ્ચે અથડામણ ..

ઘટનાની માહિતિની મીડીયામાં પ્રસિધ્ધી …

નવો રેલો મધ્યપ્રદેશથી આવ્યો …

ગઇકાલે સાંજે ૫.૩૦થી … ટીવી પર .. ત્રણ ત્રણ ચેનલો …

દર્શકો પર રાત્રે ૧૧.૩૦ સુધી … હથોડા મારતી રહી …

ભાગ – ૨ ( લાલ રંગમા )

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સેટેલાઇટ ચેનલોવાળા …

આશારામબાપૂની પાછળ પડી ગયા છે … કોઇ મદ્રેસાના મૌલવી નથી જડતા કે હિંમત નથી ?

આશ્રમમાં બાળકોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ .. શું બીજે ક્યાંય આવા અપમૃત્યુ થતા જ નથી ?

સાધકો અને પત્રકારો વચ્ચે અથડામણ .. રાઇટ ટુ ઇન્ફોરમેશનનો ઉપયોગ ન કરી શકાયો હોત ?

ઘટનાની માહિતિની મીડીયામાં પ્રસિધ્ધી … મારી ખીચડીમાં મારુ ઘી જેવુ નથી લાગતુ ? 

નવો રેલો મધ્યપ્રદેશથી આવ્યો … સ્ટીંગ ઓપરેશન શબ્દથી હવે દર્શકોને શુ, કેટલુ, કેવુ, કેટલી વખત, કેટલી વાર, કેવી રીતે બતાડવુ તે નક્કી થતુ હોય એવુ નથી લાગતુ ?

ગઇકાલે સાંજે ૫.૩૦થી … ટીવી પર .. ત્રણ ત્રણ ચેનલો … તેમના નામમાં ભારત આવે અને સાંપ્રદાયિક બીનસાંપ્રદાયિકતાની પોક મૂકે અને મહેમાનો પાસે મૂકાવતી હોય એવુ નથી લાગતુ ?

દર્શકો પર રાત્રે ૧૧.૩૦ સુધી … હથોડા મારતી રહી … સરવાળે દેશની પ્રગતિમાં ૬ કલાક ગુણ્યા કાર્યક્રમ જોનારાની સંખ્યા … આશરે / અંદાજે ફક્ત ૫ કરોડ જ હોય તો પણ … ૩૦ કરોડ માનવકલાકોનો બગાડ કર્યો હોય એવું નથી લાગતુ ?

…….. હુ આશારામજીનો ભક્ત / સાધક / કે વકિલ નથી.

…….. હુ પણ તમારી જેમ જ સ્વતંત્ર ભારતમાં મીડીયાની પરતંત્રતા, મોંઘવારી, ભાવવધારા અને રોજની સ્પર્ધાનો સામનો કરતો સામાન્ય નાગરિક છુ.

સામાન્યરીતે હુ ચેનલ બદલી જ નાખુ … પણ …

આ વખતે જાણવાની ઇચ્છા થઇ કે,

સ્ટીંગ ઓપરેશનના નામે અને કોમપ્યુટરની એડીટીંગની ક્ષમતા દ્વારા ….

વિષયની રજુઆતમાં કેવા અને કેટલા રંગ પૂરી શકાય …!!!

કહેવાય છે કે, ૧૦૦ વાર જુઠ્ઠાણુ ચલાવવામાં આવે તો એ પણ સત્ય લાગવા માંડે !

સાચું શુ અને ખોટુ શુ ?

સાચા કોણ અને ખોટા કોણ ?

સામાન્ય નાગરિકે કોનો ભરોસો કરવો ?

આ બધામાં દૂધે ધોયેલો એક જણ પણ છે ?

…… મારા વિચારોનો આ બળાપો નથી …

…. કંઇક સરસ લખવાના હેતુથી આ લખ્યુ નથી …

… હવે આપણા સૌનુ શું થશે એવો ભય નથી …

…. જન્માષ્ટમી ગઇ … કાન્હાએ જન્મ લઇ લીધો … એ મોટો થઇને આ પ્રોબલેમ સોલ્વ કરશે એવી આશા નથી …

…..  દુખની વાત અને સવાલ એક જ છે કે ….

.. મોટી મોટી વાતો કરનારા ભણેલા… ગણેલા… સુસંસ્કૃત .. સંસ્કારી …વિકસેલા… પ્રતિષ્ઠીતો …

નાની નાની એક્શન લેવામાં બીકણ, બાયલા, ડરપોક કેમ બની જાય છે ?

… દિમાગની વાત દિલથી કરી છે … 

 

ઇચ્છા થાય તો જ જવાબ આપજો …. આપવા ખાતર કે વિવેક જાળવવા ખાતર નહી.

Read Full Post »

૨૬.૦૮.૨૦૦૮

મિત્રો,

બે દિવસ સુરતનો પ્રવાસ હતો.

વરસાદ એની મરજી પ્રમાણે ધરતીને ભીંજવતો હતો. બસ કે ટ્રેનોમાં લોકો પાકીટ કરતાં વધારે ધ્યાન છત્રી અને રેઇનકોટનુ રાખતા જણાયા …  સુરત સ્ટેશને પહોંચીને … ગરમા ગરમ કાંદાના ભજીયા અને આદુવાળી ચાનો નાસ્તો કરી લીધો.

મિશન હતુ – પ્રોજેક્ટ માર્ગદર્શનમાં કોઇને કોઇ રીતે સહયોગ આપવા ઉત્સુક એવા મારા ઓનલાઇન કેલેન્ડરમાં દર્શાવેલ વ્યક્તિઓને મળવાનુ.

મારી પાસે ખાસ આજ હેતુ માટે તૈયાર કરેલી ૧૨ મીનીટની વીસીડી હતી. મારે જોવુ હતુ, અનુભવ કરવો હતો કે …. જોનાર પર એની શું અસર થાય છે.

માર્ગદર્શનના પ્રોજેક્ટ અંગે તેમનામાં જેટલી અપેક્ષા રાખી હતી તેનાથી વધારે ઉત્સુકતા વીસીડી પેદા કરી શકી.

ત્યાર બાદ જાણવુ હતુ કે, એના અનુસંધાને મારા દ્વારા પૂછાયેલા સવાલોના શુ જવાબ મળે છે.

સવાલ – ૧     તમને શુ લાગે છે ?

…. આ પ્રોજેક્ટ તો અમલમાં આવવો જ જોઇએ. …. જોરદાર પરિણામ આવી શકે હોં. …

… તમારે ( એટલેકે મારે – અખિલે ) દંભી લોકોનો સામનો કરવાનો આવશે … સાચવજો. ….

… માળા બેટા, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ .. જોજો તમને આંટા ના મરાવે …. તમારી શક્તિ એમાં જ ખર્ચાઇ જશે …

સવાલ – ૨     તમે કોઇ રીતે સહયોગ આપી શકો તેમ છો ?

…. પૈસાનો તો થોડો પ્રોબલેમ છે ….

….  તમે કહેજોને… તમારી સેવામાં સ્વયંસેવક તરીકે હાજર રહીશ ….

…. તમને મારા ઓળખીતા પ્રિન્સીપાલો તેમજ ટ્રસ્ટીઓ પાસે લઇ જઇશ ….

…. મારા બાળકો જે સ્કુલમાં ભણે છે … ત્યાં તો તમને જરૂર લઇ જઇશ ….

…. મારા ઓળખીતા બે–ચાર વેપારી મિત્રો છે પણ, … કહેવાય નહી તેમનો પ્રતિભાવ કેવો મળે …

સવાલ – ૩     તમારા કોઇ સબંધી પરદેશથી આર્થિક સહયોગ આપી શકે ખરા ?

…. કંઇ કહી ન શકાય … પણ વાત કરીશ …

…. તમને તેમનો ઇમેઇલ આપીશ, તમેજ તેમને ડાયરેક્ટ જણાવી દેજોને ….

…. મને થોડો સમય આપોને, મારી નાની બચતમાંથી હું જ તમને ફૂલની પાંખડી તો આપી જ શકીશ ….

–––––– જેમને મળ્યો હતો તેમાંના મોટા ભાગના મધ્યમ વર્ગના નોકરીઆત વ્યક્તિઓ હતી. બીજી પરચૂરણ વાતો અહી લખી નથી –––––

વડોદરાના શૈલેશ શાહે રૂ. ૩૦૦૦ ગયા મહિને મોકલીને પ્રોજેકટ માર્ગદર્શનને ગતિશીલ કર્યો. આ રકમમાંથી વીસીડી / ડીવીડી પ્લેયર વસાવ્યું છે.

તૃપ્તિએ ઘરખર્ચની રકમમાંથી બચાવેલા રૂ. ૧૨૦૦માં મે રૂ. ૪૦૦૦ ઉમેરીને પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને માઇક્રોફોન્સ લીધા છે.

યુએસએના અટલાંટાથી હર્ષદભાઇ જાંગ્લાએ યુએસડી ૧૦ અને મુંબઇની વિશાખા પટેલે યુએસડી ૩ આ મહિનાની શરૂઆતમાં જ ઓનલાઇન પે પાલ દ્વારા મોકલ્યા છે જેને લીધે આ વ્યવસ્થા બરાબર કામ કરે છે તે પણ નક્કી થઇ ગયું.

યુએસએના ડલાસથી સુરેશભાઇ જાનીએ પત્ર દ્વારા સપ્રેમ, શુભેચ્છા અને આશિર્વાદ સાથે મોકલેલા રૂ. ૫૦૦૦ આજે મળી ગયા છે.

–––  ( રૂ. ૫૫૦૦ જમા થયા. ) … http://go.to/akhil

–––  એલ.સી.ડી. ડેટા પ્રોજેક્ટરની કિંમત રૂ. ૫૦,૦૦૦/–

––– ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૮ સુધીમાં ખૂટતો સહયોગ મેળવી લેવા સઘન પ્રયત્ન કરવા છે. –––

તમારા સાથ .. સહકાર .. અને ભલામણની, પ્રોજેક્ટ માર્ગદર્શનને ખૂબ જ જરૂર છે.

 

Read Full Post »

 

ઇન્ટરનેટના માધ્યમ પર જે કંઇ છે એ પોતાની જ માલિકીનુ છે ..

એવી માનસિકતાની બહાર સૌ આવે,

વિચાર એકવાર વહેતો મૂકયા બાદ સૌનો થાય .. 

એક વિચાર પર સૌ વિચાર કરે તે ઇચ્છનિય છે…

સૌ તે વિચાર પર સંમત થાય એ દર્શનિય છે..

અને … સામુહિક રીતે એ વિચાર અમલમાં મૂકાય તે તો .. અદભૂત પરિણામ કહેવાય.

દુનિયામાં ..

જગત વિશે ..

અને

એમાં જીવતા લોકો વિશે …. તો હજુ કંઇજ જાણતા નથી.

જેમને હજુ જોયા નથી ..

અડક્યા નથી ..

જેમની સાથે ફક્ત વિચાર પ્રદાન જ શરૂ થયું છે ..

એમને જાણવા અને ઓળખવા ..

એ તો સૌથી કપરૂ કામ…

અને જયારે અઘરૂ કામ કરીએ તો ભૂલ તો થવાની જ !

મને એવુ સમજાયું છે કે,

આ માધ્યમ પર કામ કરવા માટે …

સમજાવવા કરતાં સમજવું વધારે મહત્વનુ છે.

મન મોટું  રાખીએ,

કદી કશાનુ ખોટુ ન લાગવા દઇએ,

મિત્રો મળે તો સારુ …

અને મળીને ચાલ્યા જાય, 

છોડી જાય તો …

તકલીફ થવી ન જોઇએ.

…  તો જ અહીં મઝા પડે.

તમને શું લાગે છે ?

 

Read Full Post »

આવનારા દિવસોમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. …

રક્ષાબંધન તો ગઇ ..  રાંધણ છઠ … શિતળા સાતમ .. જન્માષ્ટમી … ગણેષ ચતુર્થી … ગણેષ વિસર્જન … નવરાત્રી … દિવાળી …

દોસ્તો, જીવનમાં તહેવારોની ઉજવણી તો થવી જ જોઇએ. પણ સવાલ છે કેવી રીતે ?

અખિલ ટીવી ડોટ કોમ પર આજે લાઇવ પ્રસ્તુત થશે .. 

અભિપ્રાય.

આજનો વિષયઃ

તહેવારોની ઉજવણી પાછળ પૈસા વપરાય છે કે વેડફાય છે ?

તમારા અભિપ્રાય તમે અહી નીચે કોમેન્ટસમાં લખીને જણાવી શકો છો.

 

 

Read Full Post »

 

અમદાવાદ, મુંબઇ, જયપુર અને બેંગલોરના 

આતંકવાદને તસ્વિરોમાં કે ટીવી પર જોયા પછી …

….  કોઇએ કવિતા કરવી નહીં.

સરદાર અને ગાંધીની ભૂમિ પર જીવો છો એ યાદ રાખીને …..

બહાદુર ગુજરાતીને શોભે એવો સંકલ્પ કરવો ..

યાદ રાખો …

તમારી ચબરાક નજર અને ચાલાક વૃત્તિ જ આતંકને કબ્જે કરી શકે એમ છે.

મોત તો આમેય, એક જ વાર આવશે … 

આમને આવી ગયુ ….

તમારુ ક્યારે ?? 

મોતના ભયથી ફફડવાની જરૂર નથી ..

જો તમારા શરીરમાં 

સાચા ગુજરાતીનુ લોહી વહેતુ હોય …

સાચા ભારતિયનુ લોહી વહેતુ હોય …

તો .. કાંડા મજબૂત કરો…

બાવડામાં તાકાત પૂરો …

બરગર કે કુરકુરે છોડીને ઘી–ભાખરી–શાકનુ લોહી બનવા દો …

રામ કે રહીમની કડાકૂટમાં ના પડશો ..

કૃષ્ણ કે કરીમની ભાંજગડમાં ના પડશો ..

જે રાક્ષસ 

ગરવી ગુજરાતને કે મા ભોમને લજવતો જણાય .. 

નુકશાન પહોંચાડતો જણાય ..

તો..તેને …પકડીને ..

ત્યાંને ત્યાં જ .. …… 

જાત પર જરૂર શંકા કરજો ..

જો આટલું વાંચીને  તમારી રક્તવાહીની ફુલી ન જાય ..

આંખનો રંગ લાલ ન થઇ જાય …

બાકી … પ્રેસ .. પોલિસ કે પોલિટીશીયનો … પ્રજાને ..

એટલેકે .. તમને કે મને બચાવે …

એ વાતમાં .. …… …  …..

 

 

Read Full Post »

 

બેબી  કે બાબો .. અસલના સમયમાં લગ્ન પછી દંપતિને પૂછાતો સવાલ …

બાળક કે બાળકી … બોય કે ગર્લના સંદર્ભે …

મને વિચાર આવ્યો કે … સાંભળો ..

icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Hits (29)

Read Full Post »

   

થોડા દિવસ પર એક બ્લોગર મિત્ર સાથે ચેટમા ચર્ચા થઇ. 

મુદ્દો હતો, બ્લોગર જગતમા આપણી અપેક્ષાઓ ….

અપેક્ષા નંબર ૧ – સાઇટ પર કે બ્લોગ પર વીઝીટરની સંખ્યા વધે તો મઝા આવે.

અપેક્ષા નંબર ૨ – લખાણ પર લોકો કોમેન્ટ કરે …

પાછા કોમેન્ટના બે પ્રકાર .. ૧. વખાણ અને ૨. ટીકા

અપેક્ષા નંબર ૩ – લોકો વખાણ કરે તો વધુ સારુ. કુદરતી નિયમાનુસાર સામાન્ય રીતે આપણને સૌને વખાણ ગમે …. પ્રસંશા તો સૌને ગમે.

પણ ટીકા થાય તો ??

વ્યક્તિ ખળભળી ઉઠે છે …

ટીકાને જ મુદ્દો બનાવીને ચર્ચા ચડભડનુ સ્વરૂપ લઇ છે … …  આગળ વધે છે … અન્યો પોતાના વિચાર રજુ કરતા જાય … સમર્થકો બંનેને મળી રહે … સમજણપૂર્વકના સમાધાન તરફ લઇ જનારા પણ એકાદ પ્રયાસ કરે .. પણ .. સ્વાભિમાનના લેબલ હેઠળનુ અભિમાન વાતનુ વતેસર કરે …

અમારી ચેટનુ કનક્લુઝન – સમજદાર ત્યાંથી વિદાય લઇ લે.

અમારી ચેટ પૂરી થઇ.

મારુ મન વિચારે ચડયું….

ડુંગર તો દૂરથી જ રળીયામણાની કહેવત, મને કહેવાતા શિક્ષિતોના સંપર્કમા ખાસ કરીને ઇન્ટરનેટ પર જેમ જેમ આવવાનુ થયુ તેમ તેમ સમજાતી ગઇ.

…..  મારા મિત્રને પણ એવા જ અનુભવ થયા છે …

કે ટીકા વાંચવાની – સાંભળવાની .. સમજવાની અને જાતમા કે કામમા સુધારો કરવા ઉપયોગમા લેવા જેટલી પરિપક્વતા પોતાનામા છે કે કેમ, તે તો આત્મસંવાદનો કે મનોમંથનનો જ વિષય કહેવાય.

મારા મતે વ્યક્તિના વિચાર .. વાણી .. વર્તન .. વ્યવહાર વચ્ચે કોઇ અંતર ન હોય તો તેનુ વ્યક્તિત્વ પારદર્શક ગણાય.

આજની વાસ્તવીક દુનિયામા … લોકો વિચારે કઇક .. બોલે કઇક .. અને વર્તે કઇક.

મારા વ્યવસાયને કારણે આવા તો અસંખ્ય દાખલા નજરે જોયા છે … કોસ્મેટીક કલ્ચરના એન.જી.ઓ … કોર્પોરેટ કલ્ચરના સી.એસ.આર … અધધધધ…… જવા દો.

સારી, સાહિત્યિક અને સાચી ભાષામા લખવુ કે બોલવુ એ અવશ્ય સીધ્ધી ગણાય.

પણ સરળ અને સમજાય તેવી ભાષામા લખવુ કે બોલવુ એ સીધ્ધી કરતાં યે વિશેષ ગણાય.

(મને મારા ભાષાજ્ઞાન અને જોડણી અંગે શંકા છે જ .. છતાં જેવુ આવડયુ છે તેવુ લખવા માંડયો છુ … તેમણે મને ઉંઝા જોડણીનો વિકલ્પ સુઝાડયો. …)

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન .. આમિર ખાન .. અજય દેવગન પણ બ્લોગીંગ કરે છે .. અંગ્રેજીમાં. .. તેમની મરજી મુજબ.

અહી વર્ડપ્રેસ પર કદાચ સૌથી વધુ ગુજરાતીઓના બ્લોગ છે. સુલેખા પર પણ ગુજરાતી બ્લોગર્સની સંખ્યા મોટી છે.

સૌને વાચકો મળે છે …

સવાલ વધારે કે ઓછાનો નથી …. સવાલ મને કેવા વાચકો મળે છે નો છે.

બ્લોગર તરીકે મારે શુ લખવાનુ છે કે વ્યક્તિ તરીકે મારે શુ લખવાનુ છે.

બ્લોગીંગ હુ

– ૧. વાચકો મેળવવા કરુ છુ કે ….

– ૨. વાચકો માટે કરુ છુ કે ….

– ૩. મારા સંતોષ માટે કરુ છુ.

performance is perhaps measured with NUMBERS ….. and GRADES ….

if you are satisfied with what you are doing ..

… that is something beyond any NUMBER !!!

imagine …. if GOD would have counted his creations …. and expected APPRECIATION !!!

Just go on doing what you like and love to ….

keep satisfying self ….

everything else is sometimes  …. artificial also.

continue writing …. expressing …

regardless of …. How many would read it … understand it …

Just without expecting … anything in return !!

I know it is one of the very difficult ability to instil, develop and master.

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના; સાથી વીના, સંગી વીના …. એકલા જવાના. ( ગીતકારનુ નામ ખબર નથી )

Akhil Sutaria

Read Full Post »

તેજાબ … નો ઊપયોગ કયારે, કયાં, કેમ, કેવી રીતે અને કોને માટે ..

કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા લોખંડને ઢીલુ કરવા …

અત્યાર સુધીની જીવનસફરના મારા ૫૧ વરસના જ નાનકડા જીવનકાળમાં એવા એવા માણસોય મળ્યા કે,

જેમના તન અને મન …

કટાઇ ગયેલા,

સડી ગયેલા,

કોહવાઇ ગયેલા,

ગંધાઇ ગયેલા, 

અને નબળા પડી ગયેલા જણાયા …

એવા લોકો ડરપોક અને દંભી વિચારધારા સાથે …

જીવનના મુલ્યોની નવી વ્યાખ્યા કરવા માંડયા …

સગવડતા ખાતર .. સલામતી જોઇને .. સુરક્ષાનો વિચાર કરીને …

સભ્ય અને સંસ્કારી ઘરોમાં દુર્બળ યુવાનો પેદા કરવા માંડયા …

પરિકલ્પનાઓ અને પરિકથાઓમાં રાચતા ..

પરસેવો પાડવાની વાત તો દૂર રહી …

રોજ સવારે રડતા ..

કશુંય કરી શકવાને લગભગ અશક્તિમાન થઇ ગયેલા …

નિસ્તેજ ચહેરાઓને

જોવાનુ હવે મને મંજૂર નથી …

એટલે જ …

આ તેજાબ .. ના બે .. બે બુંદથી …

કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા

લોકમાનસને ચળકતુ – ચમકતું કરવાનો મારો આ પ્રયાસ છે.

… હવેથી વાતો બંધ .. કામ શરૂ…… છે મંજૂર ? ?

– અખિલ સુતરીઆ

Read Full Post »

કહેવાતા વિકસેલા, આગળ વધેલા, ભણેલા–ગણેલા વર્ગનું તેજાબી અપમાન એટલે ….

૬૧ વરસ પછીના આઝાદ ભારતમા પછાત વર્ગનુ અસ્તિત્વ !!

પછાત કોમ, પછાત વર્ગ, પછાત જ્ઞાતિ …….. 

પાકી ગયા છે કાન મારા ….

પછાત અને પછાતોની રામકહાણી સાંભળીને.

સાલ્લા, બધા જ રડે ….

બધાને જ ફાયદો જોઇએ ….

બધાને જ લાભ … નિરંતર લાભ જોઇએ…..

દાદાએ લીધો .. દિકરાએ લીધો .. દિકરાના દિકરાએ પણ લીધો … એના દિકરાના દિકરા – જમાઇ લાઇનમાં ઉભા છે….

સમાજ કલ્યાણ ખાતાની મુખ્ય કામગીરી શું ? એવો સવાલ જયારે મે શહેરના જાહેર માર્ગો પર ચાલતા જતા સામાન્ય નાગરિકોને કર્યો ત્યારે ….

જવાબ – ૧ .. બોસ, આપણને ખબર નથી.

જવાબ – ૨ .. ભગવાન જાણે ..

જવાબ – ૩ .. પબ્લિકના પૈસા ચાઉં કરી જવાનુ..

જવાબ – ૪ .. બેકવર્ડ ક્લાસના ફોરવર્ડ માણસોને વિવિધ યોજનાઓના લાભ આપવાનુ..

જવાબ – ૫ .. સવર્ણોનું શોષણ કરવાનુ..

જવાબ – ૬ .. સરકાર કે મુખ્યમંત્રીની ચાપલૂસી કરવાનુ..

…… સાતમો જવાબ મેળવવાને બદલે …. મે સવાલ બદલ્યો ….

યાર, ૬૧ વરસથી આપણા દેશમા આ પછાત વર્ગના લોકો કરે છે શું ?

પછાત વર્ગના લોકોને શા માટે પછાત ગણવા જોઇએ ?

પછાત વર્ગના લોકોને કેવીરીતે પછાત ગણવા જોઇએ ?

પછાત વર્ગની આ માનસીકતા નાબૂદ કરવા શું કરી શકાય ?

જેનુ કામ જે કરેના સિધ્ધાંત પર અસલની વર્ણ અને વ્યવહાર વ્યવસ્થાની ચાર મુખ્ય જ્ઞાતિઓ – બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્રની જાણકારી સૌને છે જ.

આજનુ તંત્ર કેમ ખોરવાઇ ગયુ છે ?

કયાં, કોની, કેવી ભૂલ થઇ છે ?

કેવીરીતે આ ભૂલ સુધારી શકાય ?

… છે કોઇ રસ્તો ?

હા … જલદ .. તેજાબી રસ્તો .. છે.

આજે રાત્રે ૮.૦૦ કલાકે ભારતિય સમયાનુસાર ..  www.akhiltv.com  .. પર લાઇવ !!

Read Full Post »

- Next »